નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી પ્રવેશ અંગેની જાહેરાત

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી પ્રવેશ અંગેની જાહેરાત

કોર્સ

સ્નાતક

અનુસ્નાતક

એડમિશન માટે છેલ્લી તા. : 30/06/2022

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ -૧૨ ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી ( જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી ) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . ( નોંધ : વિદ્યાર્થીએ ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ . ) 

સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ રીન્યુ વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે . ગ્રુપ -૩ ના રીન્યુ વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરિક્ષામાં યુનીવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં ( SPI - Semester Performance Index ) ૫૫ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ . જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫ % કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ . ગ્રુપ -૧ ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦ % રહેશે . 

વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે .

જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે . સમરસ છાત્રાલય જૈ જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે . 

સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે . 

ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે .

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments