નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

માનવ હૃદય | Human Heart

માનવ હૃદય

Human Heart

આપણો પંપ - હૃદય ( Our Pump – The Heart )

  1. હૃદય એક સ્નાયુલ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું કે હોય છે . 
  2. રુધિરને ઑક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે . 
  3. તેથી , ઑક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલાંક ખંડોમાં વિભાજિત હોય છે . 
  4. કાર્બન ડાયૉક્સાઇયુક્ત રુધિરને કાર્બન ડાયૉક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસાંમાં લઈ જવામાં આવે છે અને ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે . 
  5. ત્યારબાદઆ ઑક્સિજનયુક્ત રુધિર શરીરના બાકીના ભાગોમાં પંપ કરીને મોકલવામાં આવે છે . 

Human heart in gujarati


આપણે આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ 


  1. ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત રુધિર હૃદયની પાતળી દીવાલ ધરાવતા ખંડ ડાબા કર્ણકમાં આવે છે . 
  2. ડાબું કર્ણક રુધિર મેળવતી વખતે શિથિલ થાય છે . 
  3. હવે જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે તેની નીચે આવેલું ડાબું ક્ષેપક શિથિલન પામે છે જેથી રુધિર તેમાં દાખલ થાય છે . 
  4. ત્યાર બાદ માંસલ ડાબા ક્ષેપકનાં સંકોચનથી રુધિર હૃદયમાંથી શરીર તરફ બહાર જાય છે . 
  5. હકીકતમાં આ જ સમયે શરીરના વિવિધ ભાગોમાંથી એકઠું થયેલું ઑક્સિજનવિહીન રુધિર હૃદયના જમણી તરફના ઉપરના ખંડ જમણા કર્ણકમાં શિથિલન થવાથી તેમાં દાખલ થાય છે . 
  6. જમણા કર્ણકનું સંકોચન થતાં જ તેની નીચેના જમણા ક્ષેપકનું શિથિલન થાય છે . 
  7. જે પછી તેને ઑક્સિજનયુક્ત થવા માટે ફેફસાં તરફ ધકેલે છે . 
  8. ક્ષેપકોને રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ ધકેલવાનું હોવાથી તેમની દીવાલ કર્ણકોની સાપેક્ષમાં માંસલ અને જાડી હોય છે . 
  9. રુધિરનું તે જ માર્ગ પાછું વહન ન થાય તે માટે વાલ્વ કાર્ય કરે છે .


Post a Comment

0 Comments