નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

જલચક્ર ( Water Cycle )

જલચક્ર ( Water Cycle ) 

  • આપણે જોયું કે જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન કે સંગઠન થયા બાદ વરસાદ(Rain) કેવી રીતે થાય છે;
  • પરંતુ આપણે દરિયા અને મહાસાગરોને સુકાઈ જતાં જોયા નથી. 
  • તો કઈ રીતે પાણી આ જળાશયોમાં પાછું આવે છે ?(How does water return to these reservoirs?)

Water cycle in gujarati


  • પૂર્ણ પ્રક્રિયા જેમાં પાણી માથી પાણીની બાષ્પ બને છે અને વરસાદના સ્વરૂપમાં પૃથ્વીની સપાટી પર પડે છે અને પછી નદીઓના દ્વારા સમુદ્રમાં પહોંચે છે .આને જલચક્ર (Water Cycle) કહે છે .
  • આ ચક્ર એટલું સરળ નથી કે જેટલું વ્યક્ત કરાયું છે.
  • તે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી .
  • આમાંથી કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય છે અને ભૂમીય જળનો ભાગ બની જાય છે .
  • કેટલુંક ભૂમીય જળ ઝરણાંઓ દ્વારા સપાટી પર આવે છે અથવા આપણે આપણા રોજિંદા વ્યવહારો કે ઉપયોગ માટે કૂવાઓ અને ભૂગર્ભય કૂવાઓની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ .
  • સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિઓ પાણીનો ઉપયોગ કરે છે .
  • ચાલો , આપણે જલચક્રમા પાણીનું શું થાય છે અથવા કેવી રીતે વહન પામે છે તે વિશે વિચાર કરીએ .
  • જેમકે આપણે જાણીએ છીએ કે,પાણી ઘણાબધા પદાર્થોને ઓગાળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે એટલે કે પાણીમાં ઘણાબધા પદાર્થો દ્રાવ્ય બને છે .
  • દ્રાવ્ય થવાવાળા ખનીજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાંક ખનીજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે .
  • આ જ રીતે નદી ઘણાંબધાં પોષકતત્ત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને તેઓનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે.

Post a Comment

0 Comments