નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

નાલંદા વિદ્યાપીઠની માહીતી.

નાલંદા વિદ્યાપીઠ

  1. બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . 
  2. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . 
નાલંદા વિદ્યાપીઠ image


  1. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . 
  2. પાંચમી સદીમાં કુમારગુપ્ત અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો .
  3.  ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . 
  4. નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . 
  5. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . 
  6. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુએન - શ્વાંગ પણ અહીં આવેલ . 
  7. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . 
  8. ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . 
  9. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતાં . 
  10. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ - વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા . 
  11. આમાંનો માત્ર યુએન - વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો . 
  12. 7 મી સદીમાં યુએન - શ્વાગે મુલાકાત લીધી હતી . મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા . 
  13. વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા . 
  14. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાધવામાં આવ્યા હતા . વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યાં હતાં . 
  15. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્ય પૂરાં પાડવામાં આવતાં . 
  16. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર “ ધર્મગંજ ' તરીકે ઓળખાતો હતો . 
  17. ઈ.સ.ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી .



Post a Comment

0 Comments