નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

World AIDS Day (1st December)

 World AIDS Day

World AIDS Day image

પાંચમી જૂન 1981 ના રોજ એઇડ્સ(AIDS)ના રોગનો પ્રથમ કેસની જાણ થઈ , વિશ્વને ત્યારે આ રોગની ગંભીરતા એટલી સમજાઈ ન હતી પરંતુ તેનો ઇતિહાસ જોતાં વીસમી સદીના પૂર્વાર્ધની શરૂઆતમાં આજે એઇડ્સ તરીકે ઓળખાતા રોગ જેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા . જેમ સમય જાય છે તેમ આ રોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે . અવિકસીત અને વિકાસશીલ દેશોમાં તેનો ફેલાવો વધુ ઝડપી છે . ભારતમાં પણ તે ભયમુક્ત રીતે ફેલાઈ રહ્યો છે . આ રોગથી સમાજની પ્રગતિ અને વિકાસ પરની વિપરીત અસરોને કારણે તે માનવજાત માટે એક પડકાર બની ચૂક્યો છે . આ રોગની અટકાયત માટે સરકાર , સામાજિક સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે બધાએ સહકારની ઝુંબેશમાં જોડાવાની જરૂર છે . સમગ્ર વિશ્વમાં 1 લી ડિસેમ્બર ' વિશ્વ એઇડ્સ દિન (1st December  is World AIDS Day) તરીકે ઉજવાય છે .

એઇડ્સનો અર્થ (The meaning of AIDS)

શ્વેતકણ ( T - lymphocyte ) લસિકાકણને હ્યુમન ઈમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ ( HIV ) નો ચેપ લાગવાથી એઈડ્રેસ થાય છે .

આ પ્રકારના વાઇરસ માનવશરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરતા હોવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે .
H ( Human ) માનવીય
I ( Immuno Deficiency ) રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતા
V ( Virus ) વિષાણુ

A ( Acquired ) પ્રાપ્ત
I ( Immuno ) રોગપ્રતિકારક શક્તિમાં
D ( Deficiency ) ખામી ઉત્પન્ન કરતાં
S ( Syndrome ) રોગનાં લક્ષણોનો સમૂહ

રક્ત પરીક્ષણમાં આ વાઇરસની હાજરીનો ખ્યાલ આવે વ્યક્તિને HIV પોઝિટિવ કહે છે . રોગ સામે રક્ષણ કરતાં શ્વેતકણ માનવશરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે . પરંતુ આ રોગના વિષાણુ લોહીમાં રહેલ શ્વેતકણ મારી નાખે છે . HIV શ્વેતકણમાં દાખલ જઈ રોગપ્રતિકારક શક્તિ કારક તંત્ર પર હુમલો કરે છે અને તેને નબળું બનાવી બીજા રોગોનાં જીવાણુને આમંત્રે છે . HIV નો ચેપ લાગ્યા બાદ લક્ષણો દેખાવાનો સમય ગાળો 6 માસથી 20 વર્ષ સુધીનો હોઈ શકે . આવી વ્યક્તિ દર્દી નહિ , પરંતુ એઇડ્સના વાહક તરીકે ઓળખાય છે .

વ્યાખ્યા:

પ્રાપ્ત રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતા રોગોનો સમૂહ એટલે એઇડ્સ .

એચ.આઇ.વી.(HIV) એઇડ્સ(AIDS)નો  ફેલાવો

એચ.આઈ.વી. એઇડ્સ શરીરમાં મુખ્યત્વે નીચેની રીતે પ્રવેશે છે :

( 1 ) ચેપી વ્યક્તિ સાથેના જાતીય સમાગમથી
( 2 ) ચેપવાળી વ્યક્તિનું રક્ત સ્વસ્થ વ્યક્તિના રક્તમાં ભળતાં .
( 3 ) ચેપવાળી વ્યક્તિએ વાપરેલ જંતુરહિત કર્યા વિનાની સોયનો ઉપયોગ કરવાથી .
( 4 ) ચેપવાળી માતાના શરીરમાંથી ગર્ભસ્થ શિશુને .
( 5 ) ચેપવાળી વ્યક્તિ દ્વારા કેફી દ્રવ્યો લેવાં સોયના સામૂહિક ઉપયોગથી .
( 6 ) દાઢી કરતી વખતે કે શરીર પર ટેટુ બનાવતી વખતે બ્લેડ , સોયમાં એચઆઇવી વાઇરસ ભળેલાં હોય ત્યારે .
બીજા ચેપી રોગોમાં દવાઓ સૂક્ષ્મજંતુઓને મારી નાખે છે અને એ રીતે વ્યક્તિને રોગમુક્ત કરે છે . પરંતુ એચ.આઈ.વી.ના વિષાણુ વિરુદ્ધની દવાઓ આ વિષાણુઓની વૃદ્ધિને અટકાવે છે , પરંતુ તેનો સંપૂર્ણ નાશ થતો નથી .

એચ.આઇ.વી.નો ચેપી કે એઈસના દર્દીથી સમાજને સીધો કોઇ ખતરો ( જોખમ ) નથી , કારણ કે તેના શરીરમાં રહેલાં એચ.આઈ.વી. નીચેના સામાજિક વર્તન દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાતો નથી .

• એચ.આઇ.વી.(HIV) એઇડ્સ(AIDS) આ રીતે ફેલાતો નથી

Aids Not spred image

એચ.આઈ.વી. કે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે
• એક ઘરમાં સાથે રહેવાથી
• ભેટવા , હાથ મિલાવવા કે સામાન્ય ચુંબનથી છે સાથે જમવાથી
• બ્રશ કે ઓળિયાનો ઉપયોગ કરવાથી ,
• જાહેર શૌચાલયના ઉપયોગથી
• સ્નાનાગારમાં સાથે સ્નાન કરવાથી . • વાતો કરવાથી
• બસ , ટ્રેન વગેરેમાં સાથે મુસાફરી કરવાથી .
• શાળામાં સાથે અભ્યાસ કરવાથી કે રમવાથી
• ઑફિસ કે કારખાનામાં સાથે કામ કરવાથી .
• જીવાણુરહિત સોય વડે રકતદાન કરવાથી વગેરે સામાજિક વર્તન મારફતે એચ.આઇ.વી. એઇડ્સ ફેલાતો નથી .

એચ.આઇ.વી.(HIV) અને એઇડ્સ(AIDS) અટકાવવાના ઉપાયો
એચ.આઇ.વી. એઇડ્સનો નિર્મૂળ કરવાનો કોઇ ઇલાજ નથી  કે તેના વિરુદ્ધ કોઇ રસી હજુ સુધી શોધાઈ નથી . તેથી બચવાનો એકમાત્ર ઉપાય તેને ફેલાતો અટકાવવામાં જ રહેલો છે . એચ.આઈ.વી. અને એઇડ્સ વિશેની જાણકારી તથા યોગ્ય સમયે દવાઓ આપવી તેનો બચાવ ગણાય છે .

• એચ.આઇ.વી.(HIV) અને એઇડ્સ(AIDS) અટકાવવાના ઉપાયો

( 1 ) જાતીય જીવન સંયમિત રાખવું .
( 2 ) લગ્નપૂર્વેના કે લગ્નેતર જાતીય સંબંધો ન રાખવા .
( 3 ) જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો .
( 4 ) ધંધાદારી રક્તદાતાઓ પાસેથી લોહી લેવું નહિ .
( 5 ) એચ.આઈ.વી. પરીક્ષણ દ્વારા એચ.આઈ.વી. મુક્ત જાહેર કરાયેલ વ્યક્તિ પાસેથી જ લોહી લેવું .
( 6 ) ડિસ્પોઝેબલ અથવા જીવાણુરહિત સોય / સીરિંજના ઉપયોગનો આગ્રહ રાખવો .
( 7 ) કોઈ પણ શસ્ત્રક્રિયા માટે જંતુરહિત ઓજારો વાપરવાં .
( 8 ) કેફી દ્રવ્યોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓએ સાથે સોય | સિરિન્જનો સહિયારો ઉપયોગ ન કરવો .
( 9 ) એચ.આઇ.વી. ચેપ ધરાવતી સ્ત્રી સગર્ભા ન થાય તેની કાળજી લેવી .
( 10 ) રેઝર , બ્લેડ જેવી લોહીના સંપર્કમાં આવતી વસ્તુઓ અલાયદી વ્યક્તિગત વાપરવાનો આગ્રહ રાખવો .
ઉપર જણાવેલી એચ.આઈ.વી. અને એઇડ્સના અટકાવવાની બાબતોની ખામીથી આ સદીના મહારોગ તરીકે ઓળખાતા એચ.આઈ.વી. એઈસને આસાનીથી દૂર રાખી એક સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે .

Post a Comment

0 Comments