નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

અવરોધ એટલે શું? અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?

એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું અવલોકન અડધું થાય છે . પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે જ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય વધે છે . સમાન લંબાઈ તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજા દ્રવ્યનો જાડો તાર વાપરતાં એમીટરનું અવલોકન બદલાય છે . 

અવરોધનો આધાર

ઓહ્મ નો નિયમ લાગુ પાડતાં આપણને માલૂમ પડે છે કે વાહક તારનો અવરોધ

( i ) તેની લંબાઈ ( ii ) તેના આડછેદના ક્ષેત્રફળ ( iii ) તેના દ્રવ્યની જાત પર આધાર રાખે છે . ચોકસાઈપૂર્વકનાં માપન દર્શાવે છે કે એકસમાન વાહકનો અવરોધ તેની લંબાઈ નાં સમપ્રમાણમા અને તેનાં ક્ષેત્રફળ નાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

સુત્ર ની તરવાણી

અવરોધનો એકમ

અવરોધનો SI એકમ Ωm ( ઓહ્મ મીટર ) છે.

સુત્રની તરવાની વિડિઓ દ્રારા


અવરોધનાં ફાયદા

મિશ્રધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઑક્સિડાઇઝ ( દહન ) થતી નથી . આ કારણોસર તે વ્યવહારમાં વિદ્યુતઉષ્મીય સાધનોમાં વપરાય છે.
જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી , ટોસ્ટર વગેરે . વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે એક માત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે , જ્યારે તાંબા અને ઍલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુતપ્રવાહન વહન ( transmission ) કરતા તારોની બનાવટમાં થાય છે .


Post a Comment

0 Comments