નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ભારતનાં સાંસ્કૃતિક વારસા વિશે જાણો

ભારતનો સાંસ્કૃતિક વારસો

ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે . 

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો . 

માનવીએ પોતાનાં કુનેહ , બુદ્ધિચાતુર્ય , આવડત અને કલા - કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય . આર્યોથી શરૂ કરીને શકો , ક્ષત્રપ , કુષાણ , હૂણ , ઇરાનીઓ , તુર્ક , આરબો , મુઘલ , પારસીઓ , અંગ્રેજો , ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ , પ્રજાતિઓ ભારતમાં આવી . આ બધા વચ્ચે થયેલા આદાન - પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે . 

પ્રાગઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે . 

ઉદા . શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે , જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય . જેમ કે તેમાંથી મળી આવેલ દેવ - દેવીઓની પ્રતિમાઓ , માનવ શિલ્પો , પશુઓ તથા રમકડાં તેમ જ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે . 

આ જ ક્રમમાં મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ , બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ , સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ , રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતાં આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે . 

આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો , શિલાલેખો , સ્તૂપો , વિહારો , ચૈત્યો , મકબરા , મસ્જિદો , કિલ્લાઓ , ગુંબજો , રાજમહેલો , દરવાજા , ઇમારતો , ઉત્પનન કરેલાં સ્થળો તેમ જ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય . 

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઐતિહાસિક સ્થળો જેવાં કે સાબરમતી આશ્રમ , દાંડી , બારડોલી , વર્ધા , શાંતિ નિકેતન ( કોલકાતા ) , દિલ્લી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય . 

ભાષા , લિપિ , અંકો , શૂન્યની શોધ , ગણિત , પંચાંગ , ખગોળ , લોખંડ , સાહિત્ય , ધર્મ , યુદ્ધશાસ્ત્ર , રથ , રાજ્યશાસ્ત્ર , પ્રાણીશાસ્ત્ર , વનસ્પતિશાસ્ત્ર , વાસ્તુશાસ્ત્ર , ધર્મો , ગણતંત્ર , ન્યાયતંત્ર , વિધિ - વિધાન , પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે .

Post a Comment

0 Comments