નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

આગ્રાનો કિલ્લો તથા લાલ કિલ્લો

આગ્રાનો કિલ્લો 

ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે . 

આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈ.સ. 1565 માં કરાવ્યું . આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે . 

70 ફૂટ ઊંચી દીવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો દોઢ માઈલનો છે . 

તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દીવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી . 

અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું . જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીનાં સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે . 

શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા .

લાલ કિલ્લો

લાલ કિલ્લો image


દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈ.સ. 1638 માં કરાવ્યું હતું . 

લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાંનાબાદ વસાવ્યું હતું . 

આ કિલ્લાની અંદર દીવાન - એ - આમ , દીવાન - એ - ખાસ , રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી . દીવાન - એ - ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે . 

તેની સજાવટમાં સોનું , ચાંદી , કિમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે . 

લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ , મુમતાજનો શીશમહેલ , લાહોરી દરવાજા , મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે . 

આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદીરશાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો . 

લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે . દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે .

Post a Comment

0 Comments