નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઑકિસજન ચક્ર ( Oxygen cycle )

ઑક્સિજન ચક્ર ( Oxygen cycle ) 

  1. ઑક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્ત્વ છે .
  2. તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21 % છે .
  3. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયૉક્સાઈડના સ્વરૂપમાં પણ મળી આવે છે . 
  4. પૃથ્વીના પોપડામાં આ ( ઑક્સિજન ) ધાતુઓ અને સિલિકોનના ઑસાઇટ્સના સ્વરૂપમાં મળી આવે છે.

ઑક્સિજનચક્રની આકૃતિ

Oxygen cycle image

આકૃતિની સમજણ:-

  1. આકૃતિને સમજવી ખૂબ સરળ છે.
  2. આકૃતિની અંદર તમે જોય સકો છો કે વાતાવરણનો ઑકિસજન અને કાર્બનિક અણુઓ બન્ને સાથે પ્રક્રિયા કરે છે.
  3. વાતાવરણ માનો ઓક્સિજન  પ્રાણીઓ દ્રારા શ્વસનમા લેવામાં આવે છે ત્યારે કાર્બનિક અણુઓનુ દહન થાય છે.
  4. જેનાં કારણે કાર્બન ડાઈઓક્ષાઈડ અને પાણીના અણુઓ મળે છે.
  5. આ કાર્બન ડાઈઓક્ષાઈડ વાતાવરણ મા ભળી જાય છે અને વનસ્પતિ દ્રારા તેમનુ  પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્રારા ફરીથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે.
  6. એટલાં માટે પ્રકાશસંશ્લેષણની કિયા આ ચક્રમા ખૂબ મહત્વની માનવામાં આવે છે.
  7. જેમ જેમ વૃક્ષની સંખ્યા વધશે તેમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધતું જશે.
  8. માટે વધુમાં વધું વૃક્ષ વાવવા જોઈએ.


ઓક્સિજનનું મહત્વ:-

  1. તે જૈવિક અણુઓ , જેવાં કે કાર્બોદિતો , પ્રોટીન , ન્યૂક્લિક ઍસિડ અને ચરબી ( અથવા લિપિડ ) નું પણ એક આવશ્યક ઘટક છે . 
  2. પરંતુ , જ્યારે આપણે ઑક્સિજન - ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે .
  3. વાતાવરણમાં ઑક્સિજનનો ઉપયોગ ત્રણ પ્રક્રિયામાં થાય છે . 
  4. જેનાં નામ છે : શ્વસન , દહન અને નાઇટ્રોજનના ઑક્સાઈડના નિર્માણમાં વાતાવરણમાં ઑક્સિજનમાં એક માત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશસંશ્લેષણ કહે છે .
  5. જેના દ્વારા ઑક્સિજન પાછો મળે છે .આ રીતે કુદરતમાં ઓક્સિજન - ચક્રની રૂપરેખા બને છે .
  6. પરંતુ , આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનીએ છીએ ;
  7. પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટરિયા માટે તત્ત્વીય ઑક્સિજન ઝેરી બની જાય છે હકીકત્તમાં બેકટેરિયા ઑક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી.

Post a Comment

0 Comments